- text
વેપારીઓએ સવારના 11 થી 2 દરમિયાન બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો, સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યું
ટંકારા : ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકોએ અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાત્તે આવેદન આપ્યું હતું. ટંકારા શહેરની દુકાનો સ્વયંભુ 11 થી 2 વાગ્યા સુધી બંધ રાખી વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે.
ગુજરાત સહિત દેશભરમાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાના ઘેરા પડધા પડ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એ સ્વ. કિશનભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
- text
આવેદનપત્રમા ભોગ બનનાર પરીવારને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી ન્યાયની માંગ કરી હતી. તદઉપરાંત ટંકારા તાલુકામાં સમાજમાં વૈમનસ્ય ફેલાઈ એવા તત્વો જાણી જોઈને પ્લાન બનાવી લવ જેહાદ, અતિક્રમણ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરી શહેરની શાંતિ અને સલામતી ડહોળાઈ એવા પ્રયાસો કરે છે. જેની સામે પ્રસાશન અને પોલીસ નાની મોટી ધટના વખતે ગંભીર ગણી કડક પગલાં ભરે જેથી આવી ધટના બને નહી અને સ્વ. કિશનભાઈની હત્યાથી જે તથ્યો બહાર આવ્યા છે એના મુળ સુધી પહોંચી તાત્કાલિક ન્યાય મળે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.
- text