મોરબીમાં સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો દેસાઈ પરિવાર 

- text


મોરબી : મોરબીના દેસાઈ પરિવારે સ્વ.મગનભાઈ રામજીભાઈ દેસાઈની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીના સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દેવજીભાઈ મગનભાઈ દેસાઈ તથા જયંતિભાઈ મગનભાઈ દેસાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.લોકોને જમાડીને સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,હરીશભાઈ રાજા,નિર્મિત કક્કડ,ભાવીન ઘેલાણી,હીતેશ જાની,ચિરાગ રાચ્છ,મનિષ પટેલ,હસુભાઈ પંડિત સહીતનાઓએ સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text