અદેપર ગામના સરપંચે શ્વાનનો શિકાર બનેલા વિદેશી પક્ષીને આપ્યું નવજીવન

- text


 

મોરબી : અદેપર ગામના સરપંચે એક વિદેશી પંછીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજરોજ અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલાએ ગામની વાડી વિસ્તારમાં કૂતરાની ઝપેટમાં ચડેલા કુંજ નામના વિદેશી પક્ષીને બચાવ્યું હતું.એટલું જ નહીં ઘાયલ પક્ષીનો જીવ બચાવી કર્તવ્ય જીવદયા કેન્દ્રને સોંપવામાં આવ્યું હતું.આમ,એક પક્ષીનો જીવ બચાવી પુણ્યનું કામ કરી સરપંચ જનકસિંહ ઝાલાએ ઘણો જ આત્મસંતોષ અનુભવ્યો હતો.

- text