મોરબીમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ગત તા. 26ને રવિવારે નગરપાલિકાના મહેન્દ્રસિંહ ટાઉન હોલ ખાતે વર્ષ 2020-’21 માટે 12મો સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ સ્વ. શીતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે અરવિંદભાઈ ધીરુભાઈ ચાવડાના આર્થિક યોગદાનથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રામબાઈમાંની જગ્યા-વવાણીયાના મહંત જગન્નાથ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંત્રી ચંદુભાઈ હુંબલ, વક્તા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરુ અને સિનિયર એડવોકેટ વી. એચ. કનારા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આહીર જ્ઞાતિના 54 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આહીર સમાજ માટે સેવા આપનાર નિવૃત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મંડળના પ્રમુખ અજયભાઇ ડાંગર અને મંત્રી મયુરભાઈ ગજિયા સહિતના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text