મોરબીની પી. જી. પટેલ કોલેજમાં યુવા સાહિત્ય સંગોષ્ઠિ યોજાઈ

- text


મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં યુવા સાહિત્ય સંગોષ્ઠિ યોજવામાં આવી હતી.

મોરબીની પી. જી. પટેલ કોલેજમાં તા ૨૦/૧૧/૨૦૨૧ શનિવારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શનથી યુવા સાહિત્ય સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે મોરબીના પ્રખ્યાત અને લોકપ્રિય શાયર એવા કાયમ અલી હજારી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કાયમ અલી હજારી એ અલગ-અલગ વિષયો જેવા કે અલ્લાહ જાણે ઈશ્વર જાણે, ના સમજો મારા દેશને માત્ર જમીનનો ભાગ, વગેરે જેવી કવિતા, મુક્તક, શેર-શાયરી રજુ કરીને તમામ વિધાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કોલેજ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text