ભાજપ દ્વારા વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોરચા તથા કિસાન મોરચાના હોદેદારોની નિમણુંક

- text


વાંકાનેર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોરચા અને વાંકાનેર તાલુકા કિસાન મોરચાના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

જેમાં વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે મેર ભગવાનજીભાઈ, મહામંત્રી તરીકે સરવૈયા મશરૂભાઈ, ઉપપ્રમુખ તરીકે ભોરણીયા મયુરભાઈ અને રાજગોર મોહનભાઈ, મંત્રી તરીકે નિમાવત ભાવેશભાઈ, ચૌહાણ જનકબા, સારદીયા મુકેશભાઈ અને ઝાપડા ખેતાભાઈ, કોષાધ્યક્ષ તરીકે સંધી ગુલાબભાઈની નિમણુંક કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, વાંકાનેર તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે કેરવાડીયા શામજીભાઈ, મહામંત્રી તરીકે ઝાલા ધ્રુવરાજસિંહ, ઉપપ્રમુખ તરીકે ધોરીયા વિરમભાઈ અને માંડાણી શામજીભાઈ, મંત્રી તરીકે ઓળકીયા ગગજીભાઈ, ધરજીયા હિરાભાઈ, પરમાર સોમાભાઈ અને ખોરજીયા અયુબભાઈ, કોષાધ્યક્ષ તરીકે ગોધાણી વાલજીભાઈ અને કાર્યાલય મંત્રી તરીકે માલકીયા ધરમશીભાઈની વરણી કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text