મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદ-હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં સરકારી આયુર્વેદ દવાખાના તેમજ સરકારી હોમિયોપથી દવાખાનાના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.

મોરબી શહેરના વોર્ડ નં. 13માં ગત તારીખ 19ને શુક્રવારે સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધી સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી તેમજ સરકારી હોમિયોપથી દવાખાનું, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો જશવંતીબેન સોનગ્રા, ભાવિકભાઈ જારીયા, પુષ્પાબેન સોનગ્રા અને ભાનુબેન નગવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text