મોરબી આર્ટસ કોલેજના પ્રિન્સિપાલનો 31મીએ નિવૃત્તિ વિદાય સમારોહ

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી-મોરબી સંચાલિત મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો.લખમણભાઈ કંઝારીયા આગામી તા.31 ઓક્ટોબરના રોજ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી તેમના માનમાં આગામી તા.31 ને રવિવારે સવારે 10 કલાકે સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે પ્રિન્સિપાલ ડો.લખમણભાઈ કંઝારીયાના સેવા નિવૃત્તિ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text