મોરબી નજીક વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : એક પશુનું મોત

- text


મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર વીજળી પડતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ સાથે એક બકરીનું મોત પણ નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાનેલી રોડ ઉપર આવેલ પવડિયા માતાજીના મંદિરની બાજુમાં રહેતા કાનાભાઈ પુંજાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 55, જેમની બાજુમાં વીજળી પડતાં બાજુમાં રહેલ બકરીનું ત્યાજ મોત થઈ ગયુ હતું. અને કાનાભાઇને ડાબા હાથ પર વીજળીની પડવાથી ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર પાયલોટ હનીફભાઈ અને ઇએમટી મહેન્દ્રસિંહે ઘટના સ્થળે દોડી આવી તરત જ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈને સારવાર શરુ કરી હતી. જેથી દર્દીને રાહત થઈ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text