વાંકાનેર પુલ દરવાજા નજીકથી આધેડનો મૃતદેહ મળ્યો

- text


વાંકાનેર : વાંકાનેર શહેર પુલ દરવાજા પાસે મહાવીર પાઉંભાજી નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ લાલજીભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦, રહે. પંચાસીયા, વાંકાનેર) હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે એ.ડી. નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text