વાંકાનેરના 34 ગામોને સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પીવાનું શુદ્ધ પાણી મળશે

- text


રૂ.9 કરોડના ખર્ચે સીંધાવદર ખાતે પાણી પુરવઠા બોર્ડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી : વાંકાનેર તાલુકાના ૩૪ ગામોને વધારે ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે એક વધારાની વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા એન.સી. ૩૪ લીંકમાંથી પાણી લઈને સીંધાવદર ખાતે મોટો વોટર ટ્રીટમેન્ટ સંપ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. રૂ. નવ કરોડના ખર્ચે અહીં સમ્પ સહિતના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને કામ પ્રગતિમાં છે. ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે મોરબી અને રાજકોટ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડતી જુથ યોજનાઓના નવા કામોનું નિરીક્ષણ કર્યું હતું.

- text

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે વાંકાનેર તાલુકા માટેના મહત્વના પ્રોજેક્ટની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી અને આ કામો વહેલાસર પૂર્ણ થાય અને આયોજન મુજબ સમાવેશ પામેલ આ બધા જ ગામોને લાભ મળે તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા બોર્ડના રાજકોટના કાર્યપાલક ઇજનેર એચ.બી. જોધાણી, વાંકાનેર નાયબ કલેકટર શેરસીયા, વાંકાનેરના ઇન્ચાર્જ મામલતદાર પટેલ તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text