- text
વાંકાનેર : વાંકાનેરમાં રહેતો તરુણ મોરબી સ્થિત સીરામીક કારખાનામાં કામ કરતો હતો. ત્યારે તેને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મૃત્યુ થયું હતું.
- text
વાંકાનેરમાં ભેરડા ખાતે રહેતા 19 વર્ષીય મહેશભાઇ ગોરધનભાઇ વાઘેલાને ગઈકાલે તા. 6ના રોજ મોરબીના બંધુનગરમાં એ ટુ ઝેડ સીરામીકના કારખાનામાં અજાણ્યા કારણોસર ઇલેક્ટીક શોર્ટ લાગતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
- text