વાંકાનેરમાં RSSએ દાતાઓનાં સહયોગથી સ્મશાનગૃહ માટે નવ ટ્રેકટરમાં લાકડા પહોંચાડયા

- text


દાતાઓની દિલેરી અને યુવાનોની મહેનત કોરોના સામે લડવા મક્કમ

(કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરના સ્મશાનમાં લાકડાની કમી સર્જાતા દાતાઓનાં સહયોગથી RSSનાં ખંતીલા સ્વયંસેવકોએ લાકડા ભરી નવ ટ્રેકટર જેટલા પહોંચતા કર્યા છે.

વાંકાનેરની વિવિધ સામાજીક સંસ્થાઓ અને દરેક સમાજનાં દાતાઓનાં સાથ સહકારથી નવ ટ્રેકટર લાકડા અને સાત ગુણી છાણાં સ્મશાનગૃહમાં પહોંચતાં કર્યા હતાં. તેમજ મહીકા ગામે લાકડાની જરૂરિયાત ઊભી થતાં ત્યાં પણ વ્યવસ્થા કરી આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક હમેશાં રાષ્ટ્ર સેવા માટે તત્પર હોય છે ત્યારે કોરોનાનાં કહેર વચ્ચે પણ વાંકાનેરનાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકોએ પ્રેરણાદાયી સેવા કાર્ય કરી રહ્યા છે.

- text

- text