પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

- text


બીજી મેના રોજ લેવાનારી પરીક્ષાની નવી તારીખ હવે પછી થશે જાહેર

મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે લેવાતી શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા ચાલુ વર્ષે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

- text

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રાથમિક શિક્ષણવૃત્તિની ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તથા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિની ધોરણ 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા હાલની પતિસ્થિતિને લઈને મોકૂફ રાખવામાં આવી છે. ઉક્ત પરીક્ષા 2 મેના રોજ લેવાનાર હતી. જો કે હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર હવે પછી જાહેર થશે તેવું રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

- text