- text
હળવદ : વૈશ્વિક કોરોના મહામારીથી રક્ષણ મેળવવા દેશભરમાં 45 વર્ષથી ઉપરના નાગરિકો કોરોના વેકસીન લઈને પોતાને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યા છે. ત્યારે હળવદના સોનિવાડ વિસ્તારમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક વેકશીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારના કુલ 80 નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગ સાથે સ્થાનિક સેવાભાવી કાર્યકરોએ પણ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
- text
- text