મોરબીમાં માસ્ક વિતરણ કરી 42મો સ્થાપના દિવસ ઉજવતું ભાજપ

- text


સાંસદ મોહનભાઇ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત ભાજપ કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

મોરબી: અગાઉ જનસંઘ તરીકે ઓળખાતી સંસ્થા પ્રેરિત ભારતીય જનતા પાર્ટીનો ઉદય આજથી 41 વર્ષ પૂર્વે થયો હતો. ભારતીય જનતા પાર્ટીનો આજે 42મો સ્થાપના દિવસ છે. ત્યારે દેશભરમાં આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત મોરબીમાં પણ ભાજપના સ્થાપના દિવસની વિશિષ્ઠ ઉજવણી કોવિડ ગાઈડલાઇન્સને અનુસરીને કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, મોરબી ભાજપ જિલ્લા અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથળીયા, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, સહિતના કાર્યકર્તાઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે માસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ તકે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં નવા બસ સ્ટેન્ડ ખાતે કોવિડ ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે; એ ટેસ્ટ કેમ્પમાં કોઈ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવે તો તેમના માટે દવાની કીટ ઉપલબ્ધ કરવામાં આવશે. આ તકે લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ કેમ્પમાં આવીને કોવિડ ટેસ્ટ કરાવે અને તેમને આપવામાં આવન્સર દવાની કીટનો ખર્ચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવશે તેવી જાહરરાત રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ કરી હતી.

- text

આ કાર્યક્રમ અંતર્ગત આજથી જ શરૂ કરાયેલા માસ્ક વિતરણમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લોકો જાગૃત રહે અને કોરોના સામે લડત આપે તે માટે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે અને દવા પણ વિતરણ કરવામાં આવશે તેવું ભાજપના નેતાઓએ સ્થળ પરથી જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર સંદેશમાં જણાવ્યું હતું કે, ” વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે”. ભાજપનો આ મૂળ મંત્ર છે તેવું જણાવીને વડાપ્રધાને તમામ કાર્યકરોને નમન કરી અભિનંદન પાઠવ્યા હતા.

- text