મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય

- text


મોરબી : મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને રૂ. 35,000 ધૈર્યરાજસિંહની મદદ માટે આપેલ છે. આ તકે રાજપૂત કરણી સેનાના મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તથા જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર સહમંત્રી ઓમદેવસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

- text