માળીયાના રાસંગપર ગામે ઝેરી દવા પી લેનાર ખેતમજૂરનું મોત

- text


માળીયા :માળીયાના રાસંગપર ગામે ઝેરી દવા પી લેનાર ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણા તાલુકાના રાસંગપર ગામની સીમ રહીને ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુરના વતની બુધીયાભાઈ ચીમનભાઈ નાયક (ઉ.વ.-૨૨) એ ગત તા.-૨૧ ના રોજ રાસંગપર ગામની સીમમાં કોઈ ઝેરી દવા પી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text