મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : ગઇકાલે પુલવામા આતંકી હુમલાની બીજી વરસી હતી. ત્યારે મોરબી રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પુલવામા શહીદોને દીપ પ્રાગટ્ય કરી પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા તથા મોરબી રાજપૂત કરણી સેનાના હોદેદારો હાજર રહ્યા હતા.

- text