મોરબીમાં કેન્ડલમાર્ચ યોજી એબીવીપી દ્વારા પુલવામા શહીદોને શ્રધ્ધાંજલિ

- text


મોરબી : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે શહીદ થયેલા વીર જવાનોની યાદમાં મોરબી એબીવીપી દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

- text

ગઈકાલે મોરબી એબીવીપી શાખા દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામાં મા શહીદ થયેલા વિરજવાનોને પુષ્પ અર્પણ તેમજ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ વીરગતિ પામેલા શહીદોના આત્માને શાંતિ અર્થે મૌન પાડવામાં આવ્યું હતું તેમજ વીર જવાનો અમર રહોનો નાદ પોકારવામાં આવ્યો હતો.

- text