મોરબીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે પાવર બંધ રહેશે

- text


 

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સબ સ્ટેશન તથા લાઈનનું અગત્યનું સમારકામ હોવાથી તા.૨૭ના રોજ બુધવારે સબ સ્ટેશન પાવર બંધ રાખવામાં આવનાર છે. જેમાં ૨૨૦ કેવી લાલપર માંથી નીકળતા ૧૧કેવી કોરલ, સાઈ,શિવમ,તથા ૧૧કેવી જાંબુડિયા ફિડર સવારે ૯થી સાંજે ૬ અને ૬૬કેવી જોધપર, ૬૬ કેવી રવાપર સવારે ૭.૩૦ થી ૪ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ કાર્યાલય ઈજનેર (પ્રવહન) વિભાગીય કચેરીની યાદીમાં જણાવાયું છે.

- text