- text
ટંકારા : ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) ગામે યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર (ઝાલા) ગામે રહેતા રંજનબેન મોહનભાઇ પારઘીએ ગત તા. 20ના રોજ બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. રંજનબેને માનસીક બીમારીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મૃતકનો લગ્નગાળો 14 વર્ષનો છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
- text
- text