- text
ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીના કુવામાં ડૂબી જતા સગીરાનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 21ના રોજ મોટા ખીજડીયા ગામે રાજેન્દ્રસિંહ ઝાલાની વાડીએ રહેતા છગનભાઈ ભુરીયાના 11 વર્ષીય દીકરી સરલાબેન અગમ્ય કારણોસર વાડીના પાણી ભરેલ કુવામાં પડી ગયા હતા. આથી, પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું છે.
- text
- text