મોરબીમાં વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનોના પરીવારને 108ના સ્ટાફે મોબાઈલ અને પર્સ પરત કર્યા

- text


મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સગીર સહિત 2 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં 108ની ટીમ ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ દરમિયાન ઇજાગ્રસ્તનાં ખિસ્સામાંથી પર્સમાથી મોબાઇલ મળી આવતા 108ની ટીમે પરિવારજનોને મુદામાલ પરત કર્યો હતો.

મોરબીના માળીયા ફાટક પાસે બુધવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે લોકોને ઇજા થતાં 108ની ટીમના પાઇલોટ ગણપતભાઈ ડેડાણીયા અને ઇએમટી મનીષભાઈ દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ દરમિયાન ઇજાગ્રસ્ત વ્યકિતના ખિસ્સામાંથી બે મોબાઈલ અને પર્સ મળી આવ્યા હતા. આ તમામ સમાન 108ની ટિમ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનોના પરિવારનો સંપર્ક કર્યો હતો અને મોબાઈલ પર્સ અને તેમાં રહેલી રોકડ રકમ પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

- text

- text