વાંકાનેર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ ફરીથી શરૂ કરવા રજૂઆત

- text


વાંકાનેર : વાંકાનેરના મહમ્મદભાઈ રાઠોડ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે મોરબી જીલ્લાના વાંકાનેર રેલવે સ્ટેશન પર ઓખા – મુંબઈ (સૌરાષ્ટ્ર મેલ), પોરબંદર – દિલ્હી, જબલપુર – ભોપાલ તથા સિકંદરાબાદની ટ્રેન, આમ આ ચાર ટ્રેનો પસાર થાય છે. પહેલા આ ટ્રેનો વાંકાનેર જંકશન પર કાયમી સ્ટોપ હતો. પરંતુ હવે તેનો સ્ટોપ રદ કરી દેવાયો છે. ત્યારે ફરીથી આ ટ્રેનોનો વાંકાનેર જંકશન પર સ્ટોપ અપાય તો પુરતો ટ્રાફિક મળી રહે અને મોરબી જિલ્લાના મુસાફરોને પણ પૂરતો ન્યાય મળી રહે. આ બાબતે યોગ્ય પગલા લેવા અપીલ કરવામાં આવી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text