લક્ષ્મીવાસ ગામે પાણીમાં ન્હાવા પડેલી બે બાળકીઓનું ડૂબી જવાથી મોત

- text


અન્ય બે બાળકીઓને પાણીમાંથી હેમખેમ બહાર કઢાઈ

માળીયા (મી.) : માળીયાના લક્ષ્મીવાસ ગામે પાણી ભરેલા ખાડામાં ચાર બાળાઓ નહાવા પડ્યા બાદ બે બાળાઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે બાળકીઓનો બચાવ થયો હતો. આ બનાવને પગલે હતભાગી બાળાઓના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ કરુણ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના લક્ષ્મીવાસ ગામે આવેલા ખેતરમાં મજૂરી કામ કરીને ત્યાં જ રહેતા ખેતમજૂરી કરતા પરિવારોની ચાર બાળકીઓ ગઈકાલે તા.29 ના રોજ વવાણીયા તરફના ગામના તળાવના આવેલા પાણીના લક્ષમીવાસ ગામે ભરાયેલા મોટા અને ઊંડા પાણીના ખાડામાં નહાવા પડી હતી અને ચારેય બાળાઓ પાણીમાં ડૂબવા લાગી હતી. જેમાં જગૃતિબેન બહાદુરભાઈ ઠાકોર (ઉ.વ.13) અને જલુબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.6) નામની બે બાળકીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બન્નેના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય બે બાળકીઓ પાણીમાંથી હેમખેમ બહાર નીકળી જતા આ બન્ને બાળકીઓના જીવ બચી ગઈ હતા. દરમ્યાન ડૂબી ગયેલી બન્ને બાળકીઓના મૃતદેહ મળી આવતા માળીયા પોલીસે બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની એવા ખેતમજૂરો ગઈકાલે લક્ષમીવાસ ગામે ખેતરોમાં મજૂરી કામ કરતા હતા. ત્યારે આ બાળકીઓ પાણીમાં ન્હાવા પડ્યા બાદ બેના મોત થતા તેમના પરિવારોમા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text