મોરબીમાં સેવાકીય કાર્યો થકી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ

- text


સેવાભાવી અજય લોરીયા અને તેમની ટીમે માસ્ક તથા સેનિટાઈઝરનું વિતરણ કરીને વડાપ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવ્યો

મોરબી : દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 70 જન્મદિવસ છે. ત્યારે મોરબીના યુવા ઉધોગપતિ અને જાણીતા સેવાભાવી અજયભાઈ લોરીયા અને તેમની ટિમ દ્વારા સેવાકીય કાર્યો થકી વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વડાપ્રધાન મોદીના આજે 70 જન્મદિવસની પ્રેરક ઉજવણી કરવાના ભાગરૂપે મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા અને તેમની ટિમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતના પ્રધાનમંત્રી કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી અને સેવાકાર્યોના ભાગરૂપે આયોજિત સેવા સપ્તાહ અંતર્ગત સેવાભાવી અને સામાજિક કાર્યકર અજયભાઇ લોરિયા દ્વારા કોરોના વાયરસથી બચવા માટે સુપર માર્કેટ શનાળા રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સેનિટાઇઝર-માસ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 હજાર માસ્ક અને 7 હજાર સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text