મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ : કોરોના મૃત્યુઆંક 15 થયો

- text


વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોના કેસ સતત વધવાની સાથે કોરોનાથી મોત થવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. હમણાથી દરરોજ કોરોનાના એક-બે દર્દીના મોત થવાના બનાવો સામે આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં કાતિલ કોરોનાએ વધુ એકનો જીવ લીધો હતો. જેમાં વાંકાનેરના કોરોના ગ્રસ્ત વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સાથે મોરબી જિલ્લા કુલ કોરોના મૃત્યુઆંક 15 થયો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના જોધપુર ગામેં રહેતા વૃદ્ધ ગોવિંદભાઈ હરજીભાઈ ટોલિયા (ઉ.વ. 63) નામના વૃદ્ધનો 8 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી, તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 16 દિવસની સારવાર અંતે આ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

આ સાથે વાંકાનેરમાં કોરોનાનો મૃત્યુઆંક 4 થયો છે. જ્યારે મોરબી જિલ્લામાં કોરોના મૃત્યુઆંક 15 થયો છે. જો કે મોરબી જિલ્લામાં ગઈકાલે કોરોના કેસની સંખ્યા બેવડી સદીને આંબી ગયો હતો અને મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 203 થઇ ગઈ છે.

- text