નાની વાવડીમાં દશામાં મંદિરે દશામાં વ્રતનો ઉત્સવ મોકૂફ રખાયો

- text


મોરબી : મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલા શ્રી દશામાં મંદિરે દર વર્ષે દશામાંના વ્રતનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે હાલ કોરોના મહામારીને પગલે મંદિર દ્વારા ઉજવાતો દશામાં વ્રતનો ઉત્સવ આ વર્ષે તા. ૨૦-૭-૨૦૨૦ થી ૨૯-૭-૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવ્યો છે. તથા કોરોના વાયરસને કારણે ધાર્મિક સ્થળએ શ્રધ્ધાળુઓની ભીડ પર પ્રતિબંધ હોવાથી કોઈએ મંદિરમાં દર્શન કરવા આવવું નહિ. શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે જ પૂજા અર્ચના કરવી. એવું મંદિર પ્રશાસન તથા ગ્રામ પંચાયત દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text