મોરારીબાપુ પર હુમલાના પ્રયાસના વિરોધમાં વાંકાનેરના સાધુ સમાજ દ્વારા આવેદન

- text


વાંકાનેર : વાંકાનેરના રઘુનાથજી મંદિર, લાલજી મહારાજનું ગુરૂસ્થાનના મહંત છબીરામદાસ બાપુના સાંનિધ્યમાં વાંકાનેરના સાધુ સમાજ દ્વારા વાંકાનેર સેવા સદનમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

- text

આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કે દ્વારકામાં મોરારીબાપુ પર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. અને અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વાંકાનેર ત્રણે પાંખના સાધુ સમાજે મોરારીબાપુના સમર્થનમાં જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્ર વાંકાનેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર, ફળેશ્વર મંદિર, નાગાબાવા સ્થાન સાથે ત્રણેય પાંખ એટલે કે રામાનંદિ સાધુ સમાજ, વૈષ્ણવ સાધુ સમાજ તથા દશનામી સાધુ સમાજના સંતો અને દશનામ સાધુ સમાજ યુવા ગૃપ, રામાનંદી સાધુ સમાજ યુવા ગૃપ તથા વૈષ્ણવ સાધુ સમાજ યુવા ગૃપના સભ્યો વતી આપવામાં આવ્યું હતું.

- text