આજે મોરબીથી ઝારખંડ જવા બે ટ્રેન રવાના થશે

- text


એક ટ્રેન સાંજે 7-30 કલાકે અને એક ટ્રેન રાત્રે 11-30 કલાકે ઉપડશે

મોરબી : મોરબીમાં શ્રમિકોને ટ્રેન મારફત પોતાના વતન મોકલવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે મોરબીથી ઝારખંડ જવા માટે સાંજે કુલ 2 ટ્રેનો ઉપડવાની હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- text

આજે તા. 26ના રોજ મોરબીથી ઝારખંડ માટે 2 ટ્રેનો ઉપડવાની છે. જેમાં મોરબીથી ઝારખંડના ટાટાનગર જવા માટે સાંજે અંદાજે 7-30 કલાકે એક ટ્રેન ઉપડશે. તેમજ અન્ય એક ટ્રેન ઝારખંડના હટીયા જવા માટે રાત્રે અંદાજે 11-30 કલાકે રવાના થશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન જે શ્રમિકોનું રજિસ્ટ્રેશન થયું છે તેમના માટે જ છે.

- text