મોરબીથી આજે 5900 શ્રમિકોને લઈને યુપીની 4 ટ્રેનો રવાના

- text


 

આવતીકાલે પણ ત્રણથી ચાર ટ્રેનો ઉપડવાની શકયતા

મોરબી : મોરબીથી આજે યુપીની 4 ટ્રેનો ઉપડી હતી. જેમાં 5900 શ્રમિકોને પોતાના વતન જવા રવાના કરવામાં આવ્યા હતા. આ શ્રમિકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

મોરની જિલ્લાના શ્રમિકોને ટ્રેન મારફત પોતાના વતન મોકલવાનો સિલસિલો હજુ યથાવત છે. જેમાં આજે યુપીની ચાર ટ્રેનો રવાના કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે ગોરખપુર, બપોરે 12 વાગ્યે દેવરિયા, બપોરે 4 વાગ્યે બસતિ અને સાંજે 7 વાગ્યે જોનપુરની ટ્રેન ઉપડી હતી. જેમાં 5900 શ્રમિકોને મોકલવામાં આવ્યા હતા.

- text

આ ટ્રેનમાં રજિસ્ટ્રેશન ન કર્યું હોય તેવા શ્રમિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવીને ભાડું ચૂક્યું હોય તેઓને ભાડું પરત આપી દેવામાં આવ્યું હતું. કારણકે યુપી સરકારે શ્રમિકોનો ટ્રેનનો ખર્ચ ઉઠાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે પણ મોરબીથી ત્રણ- ચાર ટ્રેનો ઉપડે તેવી શક્યતાઓ છે. જો કે હજુ રેલવે તંત્ર દ્વારા ફાઇનલ સેડ્યુલ નક્કી કરવામાં ન આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text