મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા 10 ગુણી ખોળના દાન થકી ગૌસેવા

- text


મોરબી : લોકડાઉનમાં જરૂરિયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે અબોલ જીવોની ખેવના કરવી આવશ્યક છે. ત્યારે મોરબીના એક યુવા સીરામીક ઉદ્યોગપતિ દ્વારા 10 ગુણી ખોળના ગૈશાળાને દાન થકી ગૌસેવા કરવામાં આવેલ છે.

- text

મોરબીના શિવધારા મિનરલ્સ વાળા યુવા સિરામીક ઉદ્યોગપતિ યોગી પટેલ એ મોરબી-રાજકોટ રોડ પર એપોલો હોલની પાછળ આવેલ ટોબરીયા હનુમાનજી ગૌશાળામાં 10 ગુણી ખોળનું દાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગૌસેવાનું અનેરું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ત્યારે યોગીભાઈએ ગૈમાતાને ભોજન કરાવી ધન્યતાની અનુભૂતિ કરી છે.

- text