- text
મોરબી : મોરબીના નવલખી બાયપાસ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ તથા ડોક્ટરની ટીમને લોકડાઉન દરમિયાન જીવના જોખમે સેવા આપવા બદલ મોરબીના ડો. જાડેજા તથા પર્યાવરણપ્રેમી, સામાજિક કાર્યકર જીતુભાઈ ઠક્કરએ તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. તેમજ તેઓની સલામતી માટે માસ્ક આપી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તેઓના કરીને બિરદાવ્યું હતું.
- text