મોરબીમાં સાંસદ કુંડારિયા સહિતના ભાજપના અગ્રણીઓએ ડો. આંબેડકરને પુષ્પાજલી અપર્ણ કરી

- text


મોરબી : મોરબીમાં જિલ્લા ભાજપ પરિવાર દ્વારા હાલની.લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને સૌ કાર્યકર્તાઓ અને હોદેદારો દ્વારા આજે તા. 14 મી એપ્રિલે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજલી અપર્ણ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજલી અપર્ણ કરવામાં આવી હતી અને મોરબી જીલ્લા ભાજપ દ્વારા સૌ પોતાના ઘેર ડો. બાબાસાહેબ આંબેડકરજીની છબી-ફોટો ઉપર પુષ્પાંજલિ કરી તેમજ જરુરીઆતમંદને મદદ કરી, ભુખ્યાને ભોજન કરાવીને ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી ઊજવવાનો નિર્ધાર કરાયો છે.

- text