- text
બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે દરેકે ઘરમા ૯ દીવા પ્રગટાવી પ્રભુની આરાધના કરાશે
- text
મોરબી : આગામી તા.૨-૪-૨૦૨૦ ગુરુવારના રોજ પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દીન હોય, રામ નવમીના પાવન પર્વ નિમિતે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, નિર્મિત કક્કડ, હીતેશ જાની દ્વારા દરેક ધર્મ પ્રેમી જનતાને અનુરોધ કરવામા આવેલ છે કે કોરોનાના લોકડાઉનને પગલે ઘરમા જ રહી શ્રી રામ જન્મોત્સવ વધાવવો. જે અંતર્ગત બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે દરેકે પોત પોતાના ઘર મા ૯ દીવા પ્રગટાવી પ્રભુ શ્રી રામની આરાધના કરવી. તેમ મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવેલ છે.
- text