મોરબી : કોરોના સામેની જંગમાં LIOLI સીરામીક દ્વારા રૂ. 11,11,111નું આર્થિક યોગદાન

- text


મોરબી : દેશના વડાપ્રધાનની એક અપીલથી દેશભરમાંથી કલાકારો, ક્રિકેટરો, ઉદ્યોગકારો સહિતના અનેક લોકો કોરોના સામેની લડાઈમાં બાથ ભીડવા યથાશક્તિ આર્થિક યોગદાન આપી રહ્યા છે. મોરબીના સીરામીક ઉદ્યોગકારો પણ કોરોના વાયરસને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિનો સામનો કરવા આગળ આવ્યા છે. ત્યારે મોરબીના LIOLI સીરામીક દ્વારા રૂ. 11,11,111 જેટલી માતબર ધનરાશિ પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી છે. આમ, LIOLI સીરામીક એ આર્થિક યોગદાન કરી કોરોનાને હરાવવામાં નોંધનીય ફાળો આપ્યો છે.

- text