હજનાળી ગામે ઈશરદાસજી બારહટ મહાપ્રયાણ મહોત્સવનું આયોજન રદ

- text


મોરબી : મોરબીનાં હજનાળી ગામમાં આગામી તા. 2 એપ્રિલ ગુરૂવારે રામનવમીનાં રોજ ગઢવી સમાજ દ્વારા પુ. ઈશરદાસજીનાં 454માં મહાપ્રયાણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હરિરસ સભા, મહાપ્રસાદ, તથા રાત્રે ગઢવી સમાજનાં પ્રસિધ્ધ કલાકારોનાં મુખે સંતવાણી-ડાયરો યોજવામાં આવ્યા હતા. જે સમિતિનાં સંયોજક ડો. કિશોરદાન ગઢવી દ્વારા જણાવ્યા અનુસાર કોરોના વાયરસને પગલે રદ કરવામાં આવેલ છે.

- text