જાગા સ્વામી મિત્ર મંડળ આયોજિત લાલાબાપાની ૭૯મી તિથિની ઉજવણી તથા સમૂહ-ભોજન રદ

- text


મોરબી : હાલમાં કોરોના વાઇરસના કારણે ભારત સરકારે ૨૧ દિવસ સુધી સમગ્ર ભારત લોકડાઉન કરેલ છે. ભારત સરકારના આદેશને ધ્યાનમાં રાખી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા તારીખ ૧૪/૦૪/૨૦૨૦ ને મંગળવારે સંત શિરોમણી લાલા બાપાની ૭૯મી તિથિની ઉજવણી રદ કરેલ છે. આ કાર્યક્રમની તારીખ હવે પછી જાણ કરવામાં આવશે. જેની સર્વે મોચી સમાજ મોરબીને મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ નાગર દ્વારા જાણ કરવામાં આવેલ છે.

- text