કોરોના ઇફેક્ટ : મોરબીમાં એપ્રિલમાં પાટીદાર સમાજ આયોજિત સમુહ લગ્નોત્સવ રદ

- text


મોરબી : માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આગામી 24માં સમૂહ લગ્નોત્સવનુ મોરબીના બિલિયા ગામે તા. 26/4/2020 ને અખાત્રીજના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પણ આ પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવને હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેરના કારણે લોકોની સલામતીના હિતને ધ્યાને રાખીને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેની લાગતા વળગતાએ નોંધ લેવા વિનંતી કરાઈ છે અને વધુ વિગતો માટે પ્રમુખ ડો. મનુભાઈ કૈલા મો. 98254 05076, ઉપપ્રમુખ મણિલાલ સરડવા મો. 98256 95708, જ્યંતીભાઈ પડસુંબિયા મો. 98256 95827, મંત્રી જ્યંતીભાઈ વિડજા મો. 99789 21318, સહમંત્રી કમલેશભાઈ કૈલા મો. 98986 56985, મગનભાઈ આઘારા મો. 98250 98079, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા મો. 94272 22510, સહખજાનચી વિનુભાઈ કૈલા મો. 99253 60345 પર સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે.

- text