- text
વાંકાનેર : માન્યવર કાંશીરામ સાહેબની જન્મ જ્યંતી નિમિતે તાજેતરમાં વાંકાનેર ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલી, સલામી અને સભાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલી આંબેડકર નગર ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએથી સલામી આપી આગળ નીકળી હતી. તેમજ વાંકાનેરના મુખ્ય માર્ગો પર થઇ રાતીદેવડી ગામે પહોંચીને સભામાં પરિવર્તિત થઈ હતી. આ સભામાં માન્યવર કાંશીરામ સાહેબના જીવન, સંઘર્ષ, ત્યાગ અને વિચારધારાની વાત કરવામાં આવી હતી. આ તકે સ્વયમ્ સૈનિક દળના મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
- text