મોરબીના પંચાસર રોડ ઉપર બાઇક આડે રોઝડું ઉતરતા યુવાનનું મોત

- text


બે મામા અને ભાણેજને ટ્રિપલ સવારી બાઇકમાં કડીયા કામ કરીને પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ગતરાત્રે બે મામા અને ભણેજ કડીયા કામ કરીને ટ્રિપલ સવારી બાઇક પરત ફરતી વખતે આ બાઇક આડે રોઝડું ઉયરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભાણેજનું મોત નીપજ્યું હતું.

- text

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર ગઈકાલે રાત્રે શનાળા રોડ ઉપર રહેતા દિનેશભાઇ ચનભાઈ પરમાર ઉ.વ.42 ,મુકેશભાઈ ચનાભાઈ પરમાર તથા તેમનો ભાણેજ રમેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.35 રહે વણકરવાસ મોરબી ) ટ્રીપલ સવારી બાઇકમાં પસાર થઈ રહ્યા હતા.તે સમયે તેમના બાઇક આડે અચાનક રોઝડું ઉતરતા બાઇક સ્લીપ થઈ જવાથી ત્રણેય ગંભીર રીતે ધવાયા હતા અને તાકીદે ત્રણેયને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ શામજીભાઈનું મોત નીપજ્યું હતું અને અન્ય બે સારવાર હેઠળ છે.જ્યારે આ ત્રણેય ગઈકાલે રાત્રે કડીયા કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

- text