મોરબી : તારા દીકરાને કોઈ દીકરી નહિ આપે તેમ કહી પિતાને માર માર્યો

- text


બે શખ્સો સામે તાલુકા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામે તારા દીકરાને કોઈ દીકરી નહિ આપે તેમ કહી પિતાને બે શખ્સોએ માર માર્યાની તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર જીતેશભાઈ જેશીંગભાઈ પરમાર ઉવ ૩૧ રહે.નવા મકનસર ,મોરબી વાળાએ ખોડાભાઈ મનજીભાઈ તથા પવાભાઈ ખોડાભાઈ રહે. જાંબડીયા વાળાઓ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગત ,તા ૧૭ ના રોજ જાંબુડીયા ગામે વિનાભાઈ મનજીભાઈ ગોહીલના રહેણાંક મકાને બનેલા આ બનાવમાં ફરીયાદી તેની બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે ફરીયાદી તેના દીકરાના સબંધની વાત કરતા આરોપીઓએ તારા દીકર ને કોઈ દીકરીના આપે તેમ કહેતા ફરીયાદી કહેલ તમે આવુ કેમ બોલો તેમ કહેતા આ કામના આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. આ બનાવની ફરિયાદના આધારે તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text