નવા ઢુંવામાં શનિવારે રામામંડળ રમાશે

- text


મોરબી : પીપળી ગામે રામદેવપીરના મંદિરના લાભાર્થે નવા ઢુંવામાં કાળુભાઇ પાંચિયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી તા. 22 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 કલાકે યોજાશે. જેમાં જય નકલંક ઘણી રામામંડળ દ્વારા રામદેવપીરના જન્મથી સમાધિ સુધીનું આખ્યાન ભજવવામાં આવશે. જેનો લાભ લેવા માટે ગ્રામજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text