મોરબી : લેખિકા અને સંપાદક ઈન્દુબેન કાટદરેનું વ્યાખ્યાન યોજાયું

- text


મોરબી : મોરબીની શ્રી કન્યા છાત્રાલયમાં પુનરુત્થાન વિદ્યાપીઠના કુલપતિ અને ભારતીય શિક્ષણ ગ્રંથમાળા ભાગ ૧-૫ના લેખિકા અને સંપાદક ઈન્દુબેન કાટદરેનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં તેઓએ મહિલાનું ઉતરદાયિત્વ, નારી સત્વ અને પરખ વિશે મર્મ સ્પર્શી વકતવ્ય આપ્યું હતું. જેને છાત્રાલયની તમામ વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક સાંભળ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વલમજીબાપાએ સ્વાગત અને વકતાનો પરિચય આપ્યો હતો. તેમજ ડૉ. ભાવેશ જેતપરિયાએ આભારવિધિ કરી અને કાર્યક્રમનું સંચાલન ગૃહમાતા જ્યોત્સનાબેને કર્યુ હતું. આ પ્રસંગે ડો. જયેશ પનારા, પ્રિ. આરતી રાંકજા તથા અન્ય શિક્ષણવિદો અને શીશુમંદિરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text