ભારતમાતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 1 ફેબ્રુઆરીએ લોકડાયરાનું આયોજન

- text


મોરબી : જિલ્લામાં સહુ પ્રથમ વાર નિર્મિત થયેલા ભારતમાતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી એક ફેબ્રુઆરીએ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી એક ફેબ્રુઆરીને શનિવારે રાત્રે 09:00 કલાકે શક્ત શનાળા ખાતે આવેલી પટેલ સમાજ વાડીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાતા મંદિરમાં મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ- 2020ના પ્રસંગ નિમિત્તે બાવન શક્તિપીઠનું સ્થાપન પણ કરવામાં આવનાર છે. ત્યારે પટેલ સમાજ વાડીમાં આયોજિત ઉક્ત ડાયરામાં કેન્દ્રીય સંગીત નાટક એકેડમી -દિલ્હી, લોક સંગીત એડવાઇઝર અને ગાયક કલાકાર યોગેશદાન ગઢવી ભજન, સંતવાણી અને દેશ ભક્તિના ગીતોની રમઝટ બોલાવશે. ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અજયભાઈ લોરીયા સહિતના આયોજકોએ જાહેર જનતાને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text