- text
મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના માતૃશ્રીના સ્મરાણર્થે કેમ્પ યોજાશે
મોરબી : ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ અને રાજકોટ HCG હોસ્પિટલના તેમજ વિવિધ રોગોના રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા શનાળા રોડ સ્થિત સરદાર બાગ સામે આવેલ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે આયોજિત કેમ્પમાં મોરબી શહેર અને આસપાસના ગામડામાં વસતા દર્દીઓની વિનામૂલ્યે સારવાર, દવા, ચશ્મા, ડાયાબિટીસની તપાસ અને જરૂરિયાતમંદ દર્દીને ECG કાર્ડિયોગ્રામ કાઢી આપવામાં આવશે. મોરબીમાં આ કેમ્પનું આયોજન પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના માતૃશ્રી સવિતાબેન બાબુગીરી ગોસ્વામીના સ્મરાણર્થે કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. 15 ડિસેમ્બરના રવિવારે સવારે 9થી 1 વાગ્યા દરમિયાન યોજાશે. દર્દીઓએ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે શુક્રવારે અને શનિવારે સવારે 9થી 12 તથા 1થી 6 વાગ્યા સુધી નામ નોંધાવી શકાશે. આ ઉપરાંત, દર્દીઓ સરદાર બાગ સામે ગોસ્વામી ન્યુઝ એજન્સી અને બુક સ્ટોલ (સુરેશભાઈ ગોસ્વામી – 98797 83327), નવા ડેલા રોડ પર આવેલ ગીતા સ્ટુડિયો (જીતુભાઇ ઠક્કર – 92285 83743), સાવસર પ્લોટ રોડ પર આવેલ પટેલ ઓફસેટ (હર્ષદભાઈ ગામી – 94290 97722), બાપા સીતારામ ચોક પાસે આવેલ પટેલ મેડિકલ સ્ટોર (સતિષભાઈ કાનાબાર – 98798 24169) તથા ગુ. હા. બોર્ડ પાસે ભાવેશ ટેડર્સ (કિરીટભાઈ સંઘવી – 94290 97765) ખાતે નામ નોંધી શકાશે.
- text