મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ

- text


મોરબી : મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર મોરબીનાં સહયોગથી નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ સનાળા રોડ, સરદાર બાગ પાસે, આદર્શ સોસાયટીના ખૂણે આગામી તારીખ 08-12-2019ને રવિવારે સવારે 9થી બપોરના 1વાગ્યાં સુધી કરવામાં આવશે. વેચાણ માટે હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, હાથલા થોરનું શરબત, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો ઉપરાંત ખેડૂત દ્વારા પાનેલીના કાચા-પાકા પપૈયા, આનંદી સંસ્થા દ્વારા ઓર્ગેનિક મગ, તલ અને દેશી બાજરો, લાલાવદરનાં ઓર્ગેનિક કાળા તલ, તલની સાની, તલનું તેલ, કઠોળ, મગ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે જીતેન્દ્ર ઠક્કર મો. 92285 83743નો સંપર્ક કરવાનો રહેશે.

- text