યુવા દિન નિમિત્તે મોરબીમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

- text


મોરબી : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ – યુવા દિન નિમિત્તે વિનય કરાટે એકેડમી દ્વારા સામુહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન આગામી તા. 12 જાન્યુઆરી, 2020ના રોજ ગાંધીનો વંડો (રત્નકલા ગ્રાઉન્ડ), સમયના ગેટ પાસે, શકાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાની રજીસ્ટ્રેશન ફી રૂ. 50 રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તા. 31/12/2019 છે. રજીસ્ટ્રેશન ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે કરી શકાશે. સ્પર્ધકે સ્પર્ધાના નિયમોને અનુસરવાનું રહેશે. વિજેતા સ્પર્ધકને ઇનામ પણ આપવામાં આવશે. સ્પર્ધા વિશે વધુ માહિતી માટે મો. નં. 94096 63627 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text