મોરબીમાં ગુરુવારે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મહાસંમેલન યોજાશે

- text


- text

મોરબી : ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ તથા કમોસમી વરસાદના કારણે ખરીફ પાકો નિષ્ફળ ગયા છે. જેના કારણે ખેડૂતોને નુક્સાનીનો ભોગ બનવું પડ્યું છે. તેથી, લીલો દુકાળ જાહેર કરવાની માંગ સરકારને કરવામાં આવી છે. ઉપરાંત, સરકાર દ્વારા ખેડૂતોને 100% વીમો તાત્કાલિક ધોરણે ચૂકવાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોની માંગને વાચા આપવા તથા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન તા. 14 નવેમ્બરના રોજ ગુરુવારે સવારે 10 કલાકે નવા બસ સ્ટેન્ડ પાસે, સરદાર બાગ પાસે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ સંમેલન બાદ રેલી કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

- text